ભૂગોળ એક વિષય તરીકે

પ્રસ્તાવના

ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે

ભૂગોળનો અન્ય વિષય સાથે સબંધ

ભૂગોળના અભ્યાસના અભિગમો

પધ્ધતિસરનો અભિગમ

1. એલેક્ઝાંડર વોન હમ્બોલ્ટ તેના પ્રવર્તક છે.

2. આ અભિગમ સામાન્ય ભુગોળનો છે.

3.  મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ વગેરેનો પ્રકરણ પ્રમાણે વિભાજીત કરી વૈશ્વિક સ્તરે અભ્યાસ થાય છે.

4.  ઉ.દા. 'કુદરતી વનસ્પતિ' નો સર્વ પ્રથમ વૈશ્વિક સ્તરે અભ્યાસ કર્યા બાદ ભૂમધ્ય પ્રકાર્ની, શંકુદ્રુમ પ્રકારની, વિષવવૃતીય પ્રકારની વનસ્પતીનો અભ્યાસ કરવામા આવે છે.

5. પધ્ધતીસરના અભિગમમાં સમગ્ર પરથી અંશ પર આવવામા આવેછે.

પ્રાદેશિક અભિગમ:

1.  જર્મન ભૂગોળવિદ્ કાર્લ રિટર તેના પ્રવર્તક છે.

2.  પૃથ્વીના જુદા-જુદા એકમો પાડીને ચોક્કસ એકમોના સંદર્ભમા અભ્યાસ કરવામા આવે છે

3.  દક્ષિણ અમેરિકાનો એમેઝોનનો ખીણ પ્રદેશ,આફ્રિકાનો કોંગો નદીનો ખીણ પ્રદેશ, મલેશીયા, ઈડોનેશીયા, ફિલિપાઈન્સ દ્વિપ સમૂહ વગેરેને એક પ્રાકૃતિક પ્રદેશમાં જોડીને 'વિષુવવૃતિય જંગલોનો પ્રદેશ' તરીકે અભ્યાસ કરવામાં આવે છે.

4. આપ્રદેશની સમગ્ર બાબતોનો અભ્યાસ કરવામા આવેછે. જેમકે..આબોહવા, વનસ્પતિ, કૃષિ, ખનીજ સંપતી, પ્રાણીજીવન વગેરે

પ્રશ્ન-ભૂગોળનું  મહત્વ અથવા ભૂગોળની ઉપયોગીતા સમજાવો.

1.  વ્યક્તિમાં આંતરાષ્ટ્રીય સમજ વિકસે વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય તેમાટે ..

2.  ખેતી, વ્યાપાર, ઉધ્યોગ, પરિવહનની સ્થાપના અને વિકાસ માટે..

3.  નકશા વાંચન,નકશા પૂરણી, વરસાદ, તાપમાન, ભૂકંપની તિવ્રતા, હવાનું દબાણ વગેરે  પ્રકારની ક્ષમતાઓ વિકસવવા ભૂગોળ એક ટેકણ લાકડી બને છે.

4.  ભૂગોળના અભ્યાસથી પૃથ્વીનો ગોળો, પ્રાકૃતિક અને ભૌતિક તત્વોની નિરીક્ષણની કળા વ્યક્તિમાં વિકશે છે.

5.  વિશ્વના દેશો વચ્ચેના આંતર-અવલંબનની સમજ ભૂગોળ આપેછે.

6. ભુકંપ, વાવાઝોડું, પૂર, દૂષ્કાળ વગેરે જેવી આપતિ અંગે જરૂરી માર્ગદર્શન ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે.

7. વધતી વસ્તી, ઘટતી વનસ્પતિ, ગરિબી, આંતકવાદ જેવા પ્રશ્નોનો ઉકેલ ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે.

ભૌતિક ભૂગોળના પેટા વિભાગો જણાવી તેનું ટુંકમાં વર્ણન કરો.

માનવ ભૂગોળ ટુંકનોંધ

પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોના કારણે ગામડાં, કસબા, શહેરો, દેશ, કારખાના, સડક, રેલમાર્ગો, રહેઠાણ વગેરેનાં સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તીવિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી - ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ-ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભુગોળ અને રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. માનવવિકાસને આડે આવતાં ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે.
વિડાલ-દ લા બ્લાશના મતાનુસાર માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરનારા ભૌતિક નિયમ તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોના પારસ્પરિક સંબંધોનું સંયક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. ‘પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વી પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ’ - એલન સેમ્પલ